મકરસંક્રાંતિ શુભ મુહૂર્ત : નવા વર્ષ 2023ની શરૂઆત થઇ ગઇ છે. આ સાથે જ વર્ષનો ર્પથમ તહેવાર મકરસંક્રાંતિ ઉજવવા માટે લોકો આતુર છે. પરંતુ આ વર્ષે મકરસંક્રાંતિ ના તહેવારની તારીખને લઈને લોકોમાં અલગ=અલગ કન્ફ્યુઝન જોવા મળી રહ્યું છે. ચાલો જાણીએ આજે આ વર્ષે મકર સંક્રાંતિ 14મી જાન્યુઆરીએ ઉજવવામા આવશે કે 15મી જાન્યુઆરીએ? મકરસંક્રાતિ તારીખ ગુજરાત
મકરસંક્રાંતિએ હવામાન ની આગાહી
હવામાનની આગાહી કરતી વિવિધ સાઈટ્સ અનુસાર, આ વર્ષે ઉત્તરાયણના દિવસે બપોરે 12 વાગ્યા સુધી તાપમાન 20 ડીગ્રીની આસપાસ જ રહેવાની સંભાવના છે. સવારના સમયે પવનની ગતિ સહેજ વધુ રહેશે અને કલાકના 20 કિ.મી. સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોકે બપોર પછી પતંગરસિયાઓને પતંગ ચગાવવાની ખરી મજા આવશે, કારણ કે ઠંડી ઘટવા લાગશે અને ધીમે-ધીમે 4 વાગ્યા સુધીમાં તાપમાન 25 ડીગ્રીએ પહોંચશે. જ્યારે પવનની ગતિ પણ ઓછી થઈને કલાકના 10-12 કિ.મી.ની ઝડપ સુધી પહોંચી જવાની શક્યતાઓ છે. આ સમય અને હવા તથા પવનની ઈશાન તરફની દિશા પતંગ ચગાવવા માટે ખૂબ અનુકૂળ રહેશે.
વાસી ઉતરાયણ હવામાન ની આગાહી
આ વખતે વાસી ઉતરાયણ એટલે કે ૧૫ જાન્યુઆરી ના દિવસે રવિવાર આવતો હોવાથી પતંગરસિયાઓને ૨ દિવસ પતંગ ચગાવવાનો આનંદ માણી શકસે. ઉત્તરાયણની તુલનાએ વાસી ઉત્તરાયણના દિવસે તાપમાન થોડુંક ઘટશે, પરંતુ પવનની ગતિમાં ત્રણથી ચાર કિ.મી.જેટલો વધારો થઈ શકે છે. આ સ્થિતિ જોતાં વાસી ઉત્તરાયણના દિવસે બપોરના સમયે પણ કલાકના 14થી 15 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે. વાસી ઉત્તરાયણના દિવસે પવનની દિશા નૈઋત્યની રહે એવી પૂરેપૂરી શક્યતા છે. જ્યારે મહત્તમ તાપમાન પણ 29 ડીગ્રી સેલ્સિયસ રહેવાની શકયતાઓ છે. આ વખતે વાસી ઉત્તરાયણના દિવસે રવિવાર હોવાથી પતંગરસિયાઓ એને પણ ભરપૂર માણે એવી શક્યતા છે.
મકરસંક્રાતિ રાશિ મુજબ દાન
મેષ: મેષ રાશિના જાતકોએ ગોળ, મગફળીના દાણા અને તલનુ દાન કરો.
વૃષભ: વૃષભ રાશિના જાતકોએ વ્હાઈટ કપડા, દહીં અને તલનુ દાન આપવુ લાભકારી રહેશે.
મિથુન: મિથુન રાશિના જાતકોએ મગની દાળ, ચોખા અને ધાબળાનુ દાન આપવુ જોઈએ.
કર્ક: કર્ક રાશિના જાતકોએ ચોખા, સફેદ તલનુ દાન આપો.
સિંહ: સિંહ રાશિના જાતકોએ તાંબા, ઘઉંનુ દાન આપો.
કન્યા: કન્યા રાશિના જાતકોએ ખિચડી, ધાબળા અને લીલા કપડાનુ દાન કરવુ જોઈએ.
તુલા: તુલા રાશિના જાતકોએ ખાંડ અને ધાબળાનુ દાન આપવુ સારું રહેશે.
વૃશ્વિક: વૃશ્વિક રાશિના જાતકોએ લાલ કપડાં અને તલનુ દાન આપો.
ધન: ધન રાશિના જાતકોએ પીળા કપડાં અને પલાળેલી હળદરનુ દાન કરી શકો છો.